AAI ભરતી એલર્ટ: મેનેજર સહિત 389 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, 8 ઓગસ્ટથી શરૂ થશે અરજી પ્રક્રિયા



AAI ભરતી એલર્ટ: મેનેજર સહિત 389 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, 8 ઓગસ્ટથી શરૂ થશે અરજી પ્રક્રિયા



એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)માં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. AAI દ્વારા મેનેજર સહિત કુલ 389 જગ્યાઓ પર લાયક ઉમેદવારોની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને અરજીઓ મંગાવવામાં આવી છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 8 ઓગસ્ટથી શરૂ થશે, જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ 7 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે.
જાહેર કરાયેલી 389 જગ્યાઓમાં મેનેજર (એન્જિનિયરિંગ-સિવિલ)ની 145, મેનેજર (એન્જિનિયરિંગ-ઇલેક્ટ્રિકલ)ની 16, મેનેજર (ફાઇનાન્સ)ની 34, મેનેજર (ઇન્ફોર્મેશન ટેક્નોલોજી)ની 5 અને મેનેજર (આર્કિટેક્ચર)ની 4 જગ્યાઓ સામેલ છે. આ ઉપરાંત મેનેજર (કાયદો), ફાયર સર્વિસ, ઓપરેશન્સ, કોમર્શિયલ, કોર્પોરેટ પ્લાનિંગ અને કોર્પોરેટ કમ્યુનિકેશન સહિતની જગ્યાઓ પણ છે.
જુનિયર એક્ઝિક્યુટિવની વિવિધ પોસ્ટમાં ફાઇનાન્સની 36, કાયદાની 6, ઓપરેશન્સની 79 અને સર્વે તથા કાર્ટોગ્રાફીની 8 જગ્યાઓનો સમાવેશ થાય છે.
ઉમેદવારો પાસે સંબંધિત પોસ્ટ મુજબ માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. કેટલાક પદો માટે સંબંધિત ક્ષેત્રમાં નિર્ધારિત અનુભવ પણ જરૂરી છે. મેનેજર માટે મહત્તમ વયમર્યાદા 32 વર્ષ અને જુનિયર એક્ઝિક્યુટિવ માટે 27 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળશે.
પસંદગી પ્રક્રિયામાં કમ્પ્યુટર આધારિત પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી, ઇન્ટરવ્યૂ અને પોસ્ટ મુજબ અન્ય પરીક્ષણો સામેલ થઈ શકે છે. પસંદ થયેલા મેનેજરને ₹60,000થી ₹1,80,000 અને જુનિયર એક્ઝિક્યુટિવને ₹40,000થી ₹1,40,000 માસિક પગાર મળશે. જનરલ, OBC અને EWS ઉમેદવારો માટે અરજી ફી ₹1,000 છે, જ્યારે મહિલા, SC, ST અને PwBD ઉમેદવારોને ફીમાંથી છૂટ આપવામાં આવી છે.






