Get News Alerts

Never miss breaking news updates.

'ભૂલ ક્યાં થઈ તે બધાને ખબર છે, પરંતુ હું કોઈ એક ખેલાડીને જવાબદાર ઠેરવવા માંગતો નથી' : શ્રેયસ અય્યર

ઈંગ્લેન્ડ સામે બીજી ટી20 મેચમાં ભારતને 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટીમની ભૂલો સ્વીકારી, પરંતુ કોઈ એક ખેલાડીને હાર માટે જવાબદાર ઠેરવવાનો ઈનકાર કર્યો. સાથે જ તેમણે યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ અને ઈંગ્લેન્ડના બેટર જેકબ બેથેલના પ્રદર્શનની પણ પ્રશંસા કરી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 05 Jul 2026 01:03 PM IST
'ભૂલ ક્યાં થઈ તે બધાને ખબર છે, પરંતુ હું કોઈ એક ખેલાડીને જવાબદાર ઠેરવવા માંગતો નથી' : શ્રેયસ અય્યર'ભૂલ ક્યાં થઈ તે બધાને ખબર છે, પરંતુ હું કોઈ એક ખેલાડીને જવાબદાર ઠેરવવા માંગતો નથી' : શ્રેયસ અય્યર

ઈંગ્લેન્ડ ઈંગ્લેન્ડ સામે ઓલ્ડ ટ્રાફર્ડમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ભારતને 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પરાજય સાથે પાંચ મેચની શ્રેણીમાં ભારતીય ટીમ 0-1થી પાછળ થઈ ગઈ છે. મેચ બાદ કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે ટીમને ક્યાં ભૂલ થઈ તે તમામ જાણે છે, પરંતુ તે કોઈ એક ખેલાડીને હાર માટે જવાબદાર ગણાવવા માંગતા નથી.

ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 190 રન બનાવ્યા હતા. જોકે ઈંગ્લેન્ડે 19 ઓવરમાં 6 વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસલ કરી લીધું.

મેચના 17મા ઓવરમાં લેગ સ્પિનર રવિ બિશ્નોઈએ 29 રન આપ્યા હતા અને બે નો-બોલ પણ ફેંકી હતી. તેમણે ચાર ઓવરમાં 60 રન આપ્યા છતાં એક પણ વિકેટ મેળવી શક્યા નહોતા. આ અંગે અય્યરે કહ્યું કે એક નો-બોલ થઈ હતી, પરંતુ તેમને વિશ્વાસ છે કે બિશ્નોઈ વધુ મજબૂત વાપસી કરશે. તેમણે ઉમેર્યું કે 17મા ઓવરમાં જ મેચ હાથમાંથી સરકી ગઈ અને બિશ્નોઈ માટે આ એક શીખ સમાન રહેશે.

અય્યરે કહ્યું કે આ પિચ પર 190 રન સારો સ્કોર હતો, ખાસ કરીને અંતિમ ઓવરમાં તિલક વર્માએ બનાવેલા મહત્વપૂર્ણ 20 રન ટીમ માટે ખૂબ ઉપયોગી રહ્યા હતા.

ઈંગ્લેન્ડની જીતમાં જેકબ બેથેલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે 46 બોલમાં 76 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી, જેમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. અય્યરે તેમની પ્રશંસા કરતાં કહ્યું કે બેથેલે ભારતીય બોલરોનો ખૂબ જ આત્મવિશ્વાસ સાથે સામનો કર્યો હતો. સાથે જ સેમ કરને શરૂઆતથી જ મેદાનની પરિસ્થિતિને સારી રીતે સમજી ભારતીય ડાબોડી બેટરોને તેમના મનપસંદ શોટ રમવાની તક આપી નહોતી.

માત્ર 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર વૈભવ સૂર્યવંશી ભારતનો સૌથી યુવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બન્યો છે. તેણે 10 બોલમાં 14 રન બનાવ્યા હતા. વૈભવના ડેબ્યૂ અંગે અય્યરે કહ્યું કે તેમાં નિડરતા જોવા મળે છે અને તે રમતો જોવો આનંદદાયક છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેણે સતત સારું ક્રિકેટ રમ્યું છે અને મોટા મંચ પર પણ તેણે આત્મવિશ્વાસપૂર્વક રમત દર્શાવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.