Get News Alerts

Never miss breaking news updates.

PM મોદીની રાજ્યોના CM સાથે મિટિંગ પૂર્ણ, કહ્યું - દેશમાં લોકડાઉન...

PM Narendra Modi Meeting: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યોના મુખ્યમંત્રીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના ભયને ધ્યાનમાં રાખીને બોલાવવામાં આવેલી આ બેઠક લગભગ બે કલાક ચાલી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, તેમણે ટીમ ઈન્ડિયા તરીકે કામ કરવું જોઈએ. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, વર્તમાન કટોકટીને કારણે દેશવ્યાપી લોકડાઉન થશે નહીં.
Admin
AdminUpdated on: 27 Mar 2026 10:06 PM IST
PM મોદીની રાજ્યોના CM સાથે મિટિંગ પૂર્ણ, કહ્યું - દેશમાં લોકડાઉન...PM મોદીની રાજ્યોના CM સાથે મિટિંગ પૂર્ણ, કહ્યું - દેશમાં લોકડાઉન...

PM Narendra Modi Meeting: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યોના મુખ્યમંત્રીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના ભયને ધ્યાનમાં રાખીને બોલાવવામાં આવેલી આ બેઠક લગભગ બે કલાક ચાલી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, તેમણે ટીમ ઈન્ડિયા તરીકે કામ કરવું જોઈએ. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, વર્તમાન કટોકટીને કારણે દેશવ્યાપી લોકડાઉન થશે નહીં.

થોડા દિવસો પહેલા જ પીએમ મોદીએ રાષ્ટ્રને ચેતવણી આપી હતી કે, મધ્ય પૂર્વમાં આ કટોકટી ભારત માટે લાંબા ગાળાની સમસ્યાઓ ઊભી કરી શકે છે. કેન્દ્ર સરકાર દરેક શક્ય પગલાં લઈ રહી છે, પરંતુ જમીન પર આ કાર્યક્રમોની સફળતા સુનિશ્ચિત કરવાની વાસ્તવિક જવાબદારી રાજ્યોની છે. તેથી, તેમણે મુખ્યમંત્રીઓને અપીલ કરી હતી કે, તેઓ પોતપોતાના રાજ્યોમાં એવી વ્યવસ્થા કરે કે સામાન્ય માણસની આવશ્યક જરૂરિયાતોને અસર ન થાય. તેમણે યાદ અપાવ્યું કે, જ્યારે દેશ કટોકટીમાં હોય છે, ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્યોએ એક પરિવાર તરીકે સાથે મળીને લડવું જોઈએ.

પ્રધાનમંત્રી મોદીએ આ પરિસ્થિતિની સરખામણી બરાબર છ વર્ષ પહેલાં આવેલી કોરોનાવાયરસની મહામારી સાથે કરી હતી. તેમણે કહ્યું કે, જે રીતે કેન્દ્ર સરકાર અને રાજ્યોએ કોવિડ-૧૯ દરમિયાન "ટીમ ઈન્ડિયા" તરીકે કામ કર્યું હતું, તેવી જ ભાવના આજે પણ જરૂરી છે. તમને યાદ હશે કે માર્ચ 2020માં, જ્યારે આખું વિશ્વ સ્થગિત થઈ ગયું હતું, ત્યારે પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે સતત બેઠકોની શ્રેણી શરૂ કરી હતી. પહેલી બેઠક 20 માર્ચ, 2020ના રોજ થઈ હતી, જેના ચાર દિવસ પછી જ દેશ ત્રણ અઠવાડિયાના લોકડાઉન હેઠળ હતો. તે મુશ્કેલ સમયગાળા દરમિયાન તેમણે મુખ્યમંત્રીઓ સાથે એક ડઝનથી વધુ વખત વાત કરી હતી, જેથી ખાતરી કરી શકાય કે પરીક્ષણ, ટ્રેકિંગ અને સારવારની કોઈ કમી ન રહે.

2021માં રસીકરણ અભિયાન આવ્યું ત્યારે પણ પીએમ મોદીએ સંધીય માળખાની મજબૂતાઈમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજ્યો પરનો નાણાકીય બોજ ઓછો કરવા માટે તેમણે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે મફત રસીકરણની જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, કોઈપણ રાજ્ય સરકારે રસી પર એક પૈસો પણ ખર્ચવાની જરૂર રહેશે નહીં. તે સમયે રાજ્યોએ પણ રાજકારણથી ઉપર ઉઠીને કેન્દ્ર સરકારને ટેકો આપ્યો હતો, જેની પીએમ મોદીએ પોતે એક લેખમાં પ્રશંસા કરી હતી. તેમણે આને ભાગીદારીના નવા મોડેલ તરીકે વર્ણવ્યું હતું.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.