Get News Alerts

Never miss breaking news updates.

UPI Payment Charges: ₹2,000થી વધુની UPI પેમેન્ટ પર લાગશે 0.4% MDR! સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે અસર કે નહીં?

UPI Payment Charges: UPI દ્વારા પેમેન્ટ કરતા કરોડો લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ નવા નિયમો 15 ઓક્ટોબર 2026થી લાગુ થશે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 16 Sep 2026 09:25 AM IST
UPI Payment Charges: ₹2,000થી વધુની UPI પેમેન્ટ પર લાગશે 0.4% MDR! સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે અસર કે નહીં?UPI Payment Charges: ₹2,000થી વધુની UPI પેમેન્ટ પર લાગશે 0.4% MDR! સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે અસર કે નહીં?

UPI Payment Charges

UPI Payment Charges: UPI દ્વારા પેમેન્ટ કરતા કરોડો લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ પસંદગીના Person-to-Merchant (P2M) UPI ટ્રાન્ઝેક્શન માટે નવું Merchant Discount Rate (MDR) માળખું જાહેર કર્યું છે. આ નવા નિયમો 15 ઓક્ટોબર 2026થી લાગુ થશે. જોકે સૌથી મહત્વની વાત એ છે કે આ MDRનો સીધો ચાર્જ સામાન્ય UPI ગ્રાહક પાસેથી લેવામાં આવશે નહીં.

₹2,000થી વધુની પેમેન્ટ પર 0.4% MDR

નવા માળખા હેઠળ ₹2,000થી વધુના પાત્ર P2M UPI ટ્રાન્ઝેક્શન પર 0.4% MDR લાગશે. ₹75,000 કે તેથી વધુના ટ્રાન્ઝેક્શન માટે MDRની મહત્તમ મર્યાદા ₹300 પ્રતિ ટ્રાન્ઝેક્શન રાખવામાં આવી છે. આ રકમ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં સામેલ બેન્કો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ અને UPI એપ પ્રોવાઇડર્સ વચ્ચે વહેંચાશે.

સામાન્ય UPI યુઝરે ચાર્જ આપવાનો નથી

સરકારે સ્પષ્ટ કર્યું છે કે MDR ગ્રાહક પાસેથી વસૂલાતો ચાર્જ નથી. એટલે કોઈ વ્યક્તિ પોતાના મિત્ર, પરિવારના સભ્ય કે અન્ય વ્યક્તિને UPI દ્વારા પૈસા મોકલે છે તો P2P ટ્રાન્ઝેક્શન કોઈપણ રકમનું હોય, તે મફત રહેશે.

તેવી જ રીતે ₹2,000 સુધીની મર્ચન્ટ પેમેન્ટ પણ MDRના દાયરામાં નહીં આવે. સરકારના જણાવ્યા મુજબ આશરે 96% P2M UPI ટ્રાન્ઝેક્શન પણ આ ફેરફારથી પ્રભાવિત નહીં થાય.

भारत सरकार की अधिसूचना

નાના વેપારીઓ માટે પણ રાહત

UPI QR મારફતે દર મહિને ₹1 લાખ સુધીની પેમેન્ટ સીધી બેન્ક એકાઉન્ટમાં મેળવનારા નાના વેપારીઓને Zero-MDRનો લાભ ચાલુ રહેશે. આમાં સ્ટ્રીટ વેન્ડર્સ, નાની દુકાનો અને અન્ય નાના વ્યવસાયોનો સમાવેશ થાય છે.

રેલવે, ટેલિકોમ અને ઈંધણ માટે અલગ નિયમ

રેલવે, ટેલિકોમ, વીમા, ઈંધણ અને અન્ય ચોક્કસ આવશ્યક ક્ષેત્રોમાં ₹2,000થી વધુની UPI પેમેન્ટ પર ₹5નો ફ્લેટ MDR લાગુ થશે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડ, સિક્યોરિટીઝ, સ્ટોક બ્રોકર્સ અને ડીલર્સ સાથે જોડાયેલા ચોક્કસ ટ્રાન્ઝેક્શન માટે 0.02% MDR, મહત્તમ ₹300 સુધી, નક્કી કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર કેમ ફેલાઈ હતી ચિંતા?

તાજેતરમાં ₹2,000ની મર્યાદાને લઈને એવી ચર્ચા શરૂ થઈ હતી કે કદાચ ₹2,000થી વધુની દરેક UPI પેમેન્ટ પર ગ્રાહક પાસેથી ચાર્જ લેવામાં આવશે. જોકે NPCI અને સરકારના હાલના સ્પષ્ટીકરણ મુજબ MDR અને ગ્રાહક પાસેથી લેવામાં આવતો UPI ટ્રાન્ઝેક્શન ચાર્જ એક જ બાબત નથી.

સરકારે ઓગસ્ટ 2026માં પણ સ્પષ્ટ કર્યું હતું કે સામાન્ય ગ્રાહકો માટે UPI પેમેન્ટ પર ટ્રાન્ઝેક્શન ચાર્જ નહીં લેવામાં આવે અને P2P પેમેન્ટ મફત રહેશે. હવે જાહેર કરાયેલા નવા માળખામાં પણ આ જ સ્થિતિ યથાવત છે.

તો સામાન્ય લોકો પર શું અસર પડશે?

જો તમે દુકાન, ઓનલાઈન પ્લેટફોર્મ અથવા અન્ય મર્ચન્ટને UPIથી પેમેન્ટ કરો છો તો MDRની રકમ તમારા બિલમાં અલગથી ઉમેરવાની જોગવાઈ નથી. સરકારના જણાવ્યા મુજબ ગ્રાહકો MDR ચૂકવશે નહીં. એટલે ₹5,000ની મર્ચન્ટ પેમેન્ટના કિસ્સામાં 0.4% એટલે ₹20 MDR નક્કી થાય છે, પરંતુ આ મર્ચન્ટ-સાઇડ ચાર્જ છે, ગ્રાહક પાસેથી વસૂલવાનો UPI ચાર્જ નહીં.

આ નવા નિયમો 15 ઓક્ટોબર 2026થી અમલમાં આવશે.

આ પણ વાંચો : Ganesh Sthapana 2026: ઓનલાઈન ગણપતિની મૂર્તિ ઘરે મંગાવી છે? સ્થાપના પહેલાં આ 5 કામ જરૂર કરો

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.