‘આમી ઇસ્તિફા ના દેબો...’ મમતાએ રાજીનામાની ના પાડતા હવે શું થશે? ગવર્નર શું કરશે...



‘આમી ઇસ્તિફા ના દેબો...’ મમતાએ રાજીનામાની ના પાડતા હવે શું થશે? ગવર્નર શું કરશે...



Mamata Banerjee: ‘આમી ઇસ્તિફા ના દેબો...’ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણીમાં હારી ગયા પછી રાજીનામું આપવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યું છે કે, તેઓ બિલકુલ પદ પરથી હટશે નહીં. તેમની સામે કેવા પગલાં લેવામાં આવશે, બંધારણ આ અંગે શું કહે છે, શું કોઈ રાજ્ય સરકારની ટર્મ પૂરી થઈ જાય ત્યારબાદ મુખ્યમંત્રીનું પદ પણ પોતે જ હટી જાય છે.
મમતા બેનર્જી કે કોઈપણ મુખ્યમંત્રી ચૂંટણી હાર્યા બાદ રાજીનામું ન આપે એ એક ગંભીર બંધારણીય સંકટ પેદા કરી શકે છે. ભારતીય બંધારણ પ્રમાણે, આવી સ્થિતિમાં કેટલાક પગલાં લેવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ 7 મે 2026ના દિવસે પૂરો થાય છે. બંધારણ કહે છે કે, ટર્મ સમાપ્તિ પર મુખ્યમંત્રીનું પદ સમાપ્ત નથી થતું. ભારતના બંધારણમાં મુખ્યમંત્રીના કાર્યકાળ અને રાજીનામાને લઈને સ્પષ્ટ નિયમ છે.
કલમ 164 અંતર્ગત મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે. બાકી મંત્રીઓની નિમણૂક રાજ્યપાલ મુખ્યમંત્રીની સલાહ લીધા બાદ કરે છે. આ કલમ સ્પષ્ટ કરે છે કે, મુખ્યમંત્રી અને તેમના મંત્રી રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી જ તેમના પદ પર રહી શકે છે.
રાજીનામું ન આપે તો શું કાર્યવાહી થઈ શકે?
જો કોઈ મુખ્યમંત્રી ચૂંટણીમાં હારી જાય, તેમ છતાં રાજીનામું ન આપે તો, રાજ્યપાલ તેમની સામે કાર્યવાહી કરી શકે છે.
1. પદભ્રષ્ટ કરવાઃ રાજ્યપાલ મુખ્યમંત્રીને પદભ્રષ્ટ કરી શકે છે. જો કે, મુખ્યમંત્રી રાજ્યપાલની મરજી સુધી જ પદ પર હોય છે, તેથી બહુમતી ન હોય કે ચૂંટણી હાર્યા પછી પણ રાજીનામું ન આપવું ‘બંધારણીય મશીનરી’ની નિષ્ફળતા માનવામાં આવે છે અને રાજ્યપાલ તેમને પદભ્રષ્ટ કરી શકે છે.
2. વિશ્વાસ મતઃ રાજ્યપાલ મુખ્યમંત્રીને વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે કહે છે. જો તેઓ હારી ગયા હોય તો તેઓ બહુમત સાબિત કરી શકશે નહીં અને વિધાનસભામાં તેમને અવિશ્વાસ પ્રસ્તાવના માધ્યમથી પણ હટાવી શકાશે.
એ વાત તો બિલકુલ સ્પષ્ટ છે કે, તૃણમૂલ કોંગ્રેસ પાસે બહુમતી નથી, તો સરકાર ચાલી શકશે નહીં. મમતા બસ નવી વિધાનસભાના ગઠન સુધી કેરટેકર મુખ્યમંત્રી તરીકે રહી શકે છે. જેવાં જ પરિણામોની સત્તાવાર જાહેરાત થશે, રાજ્યપાલ બહુમત ધરાવતી પાર્ટીને સરકાર બનાવવા આમંત્રણ આપશે. આ સ્થિતિમાં તેમને પદ છોડવું પડશે.
જો રાજીનામું નહીં આપે તો પણ નવી સરકાર બનશે
મમતાનું રાજીનામું ન આપવાનું પગલું આમ તો પ્રતિકાત્મક રહેશે. કારણ કે તેમની પાર્ટી ચૂંટણીમાં હારી ગઈ છે. વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. રાજ્યપાલ ભાજપને સૌથી મોટી પાર્ટી અને બહુમતી મેળવ્યા બાદ સરકાર બનાવવા માટે આમંત્રણ આપશે. જો કે, તેમનું રાજીનામું સત્તા હસ્તાંતરણ નહીં રોકી શકે.
સીએમનો કાર્યકાળ પણ નક્કી
કલમ 172 કહે છે કે, રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ વધારેમાં વધારે 5 વર્ષ હોય છે. તેના આધારે જ મુખ્યમંત્રીનો કાર્યકાળ પણ નક્કી હોય છે. કલમ 164 કહે છે કે, મુખ્યમંત્રી રાજ્યપાલની મરજી સુધી જ પદ પર રહી શકે છે, પરંતુ બંધારણ પ્રમાણે હોવાથી એટલે કે બહુમતી ન હોય તો પદ પર રહેવાનો અધિકાર પૂર્ણ થઈ જાય છે.
બંધારણીય રીતે, બહુમતી ન હોવાથી સરકાર ચાલી શકતી નથી. એવામાં મમતા રાજીનામું નહીં આપે તો, વધુ ફર્ક નહીં પડે. સત્તા પરિવર્તન બંધારણીય રીતે પ્રકિયા પ્રમાણે નક્કી કરવામાં આવશે.




