Get News Alerts

Never miss breaking news updates.

મિડલ ઇસ્ટ સંકટમાં એલર્ટ મોડ પર મોદી સરકાર, ઇરાન સાથે કરી સીધી વાત

Iran America Tension: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારતે ખાડી દેશો સાથે સંબંધો અને સંપર્કોને વધુ મજબૂત બનાવ્યા છે. સરકારનું મુખ્ય ધ્યાન ઉર્જા સુરક્ષા, ભારતીય નાગરિકોની સુરક્ષા અને વેપાર હિતોના રક્ષણ પર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર કરવામાં આવી રહી છે.
Admin
AdminUpdated on: 21 Apr 2026 09:12 PM IST
મિડલ ઇસ્ટ સંકટમાં એલર્ટ મોડ પર મોદી સરકાર, ઇરાન સાથે કરી સીધી વાતમિડલ ઇસ્ટ સંકટમાં એલર્ટ મોડ પર મોદી સરકાર, ઇરાન સાથે કરી સીધી વાત

ફાઇલ તસવીર

Iran America Tension: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારતે ખાડી દેશો સાથે સંબંધો અને સંપર્કોને વધુ મજબૂત બનાવ્યા છે. સરકારનું મુખ્ય ધ્યાન ઉર્જા સુરક્ષા, ભારતીય નાગરિકોની સુરક્ષા અને વેપાર હિતોના રક્ષણ પર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર કરવામાં આવી રહી છે. 

તાજેતરના સમયમાં ઘણા મોટા ભારતીય નેતાઓ ખાડી દેશોની મુલાકાત લઈ ચૂક્યા છે. અજિત ડોભાલ સાઉદી અરેબિયા ગયા હતા. એસ. જયશંકર સંયુક્ત આરબ અમીરાત પહોંચ્યા હતા અને હરદીપ સિંહ પુરી કતાર ગયા હતા. આ ઉપરાંત પીયૂષ ગોયલે ઘણા દેશો સાથે પણ વાતચીત કરી હતી.

ભારત ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. કારણ કે તે વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ છે. ભારતીય જહાજો પર ગોળીબારની તાજેતરની ઘટનાઓએ ચિંતામાં વધારો કર્યો છે. ભારતે આ બાબતે ઈરાન સાથે સીધી વાત કરી છે. તેના રાજદૂત મોહમ્મદ ફતાલીને બોલાવીને પોતાની ચિંતા વ્યક્ત કરી છે. ભારતે માગ કરી છે કે, ભારતીય જહાજોનો સુરક્ષિત માર્ગ સુનિશ્ચિત કરવામાં આવે.

વિદેશ મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે, ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોની સલામતી પર નજર રાખવામાં આવી રહી છે અને તેમનો નિયમિત સંપર્ક કરવામાં આવી રહ્યો છે. વધુમાં ભારત ઉડ્ડયન અને અન્ય નાગરિક બાબતો પર યુએઈ સાથે સતત વાતચીત કરી રહ્યું છે. સરકારે એ પણ પુષ્ટિ આપી છે કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં આઠ ભારતીયોના મોત થયા છે અને એક ગુમ છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.