'ભાભીજી ઘર પર હૈ 2.0' કેમ થયું ફ્લોપ? આસિફ શેખે કર્યો મોટો ખુલાસો, કહ્યું- 'ઉપરથી ઓર્ડર આવ્યો હતો'



'ભાભીજી ઘર પર હૈ 2.0' કેમ થયું ફ્લોપ? આસિફ શેખે કર્યો મોટો ખુલાસો, કહ્યું- 'ઉપરથી ઓર્ડર આવ્યો હતો'



લોકપ્રિય કોમેડી શો' ભાભીજી ઘર પર હૈ' માં વિભૂતિ નારાયણ મિશ્રાનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં ઓળખ મેળવનારા આશિફ શેખે 'ભાભીજી ઘર પર હૈ 2.0'ની નિષ્ફળતા અંગે ખુલ્લેઆમ વાત કરી છે. અભિનેતાએ જણાવ્યું કે નવા સીઝનમાં શોની મૂળ ઓળખ અને માળખામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા, જેના કારણે દર્શકો તેને સ્વીકારી શક્યા નહીં.
એક ઈન્ટરવ્યૂ દરમિયાન આસિફ શેખે જણાવ્યું કે, "આ શોએ મને બધું આપ્યું છે. આ શોમાં મને અનેક પ્રકારના પાત્રો ભજવવાની તક મળી. પરંતુ 'ભાભીજી ઘર પર હૈ 2.0'માં શોની મૂળ રચના જ બદલી નાખવામાં આવી હતી. હું પણ તેના પક્ષમાં નહોતો."
તેમણે વધુમાં કહ્યું કે વર્ષોથી દર્શકો જે પ્રકારની મજા અને કોમેડી માટે શો જોતા હતા, તે જ તત્વોને દૂર કરી દેવામાં આવ્યા. "વિભૂતિનું ભાભીજી સાથે મજાક કરવું, પડોશીઓ વચ્ચેની રમૂજી નોકઝોક જેવી બાબતો જ શોની ઓળખ હતી, પરંતુ નવા વર્ઝનમાં આ બધું બદલાઈ ગયું."
"મેં વિરોધ કર્યો હતો, પણ ઉપરથી નિર્ણય લેવાયો" -આસિફ શેખ
આસિફ શેખે દાવો કર્યો કે તેઓ શોના ફોર્મેટમાં ફેરફારના વિરોધમાં હતા, પરંતુ નિર્ણય નિર્માતાઓ અને ઉચ્ચ સ્તરેથી લેવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું, "હું પહેલો વ્યક્તિ હતો જેણે આ બદલાવનો વિરોધ કર્યો હતો. પરંતુ ઉપરથી ઓર્ડર આવ્યો હતો, એટલે હું કંઈ કરી શક્યો નહીં. જો હું આ પ્રોજેક્ટ માટે ના પાડી હોત તો કદાચ શો જ બંધ થઈ ગયો હોત."
શિલ્પા શિંદેની વાપસી પણ કામ ન આવી
શોમાં Shilpa Shindeએ પણ જોરદાર વાપસી કરી હતી અને દર્શકોને તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. છતાં શોની ઘટતી લોકપ્રિયતા અને TRPને રોકી શકાયી નહીં.
શું હતી 'ભાભીજી ઘર પર હૈ 2.0'ની સ્ટોરી?
'ભાભીજી ઘર પર હૈ 2.0'માં કોમેડી સાથે સસ્પેન્સ અને હોરરનો મિશ્રણ જોવા મળ્યો હતો. વાર્તા એક રહસ્યમય હવેલી અને તેના આસપાસ સર્જાતી ઘટનાઓ પર આધારિત હતી.
કથામાં તિવારીજી, અંગૂરી ભાભી, અનિતા ભાભી અને વિભૂતિ વચ્ચે અનેક નવા ટ્વિસ્ટ જોવા મળ્યા હતા. પત્નીઓની અદલાબદલી, ભૂતિયા ઘટનાઓ અને રહસ્યમય પાત્રો દ્વારા હાસ્ય અને ડરના તત્વો ઉમેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઘટતી TRP બાદ બંધ થયો શો:
રિપોર્ટ્સ અનુસાર સતત ઘટતી TRPના કારણે નિર્માતાઓએ શો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. 'ભાભીજી ઘર પર હૈ 2.0'એ એપ્રિલ 2026માં પોતાની સફર પૂર્ણ કરી હતી.
આસિફ શેખના નિવેદન બાદ હવે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે કે લોકપ્રિય શોના મૂળ ફોર્મેટમાં વધુ પડતા ફેરફારો ક્યારેક દર્શકોને પસંદ નથી આવતા અને તે શોની લોકપ્રિયતા પર સીધી અસર કરી શકે છે.




