Get News Alerts

Never miss breaking news updates.

રાઘવ ચઢ્ઢાએ કેમ છોડી આમ આદમી પાર્ટી? જાણો કારણ

Raghav Chadha: આમ આદમી પાર્ટી (AAP)માં શુક્રવારે મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી જ્યારે રાઘવ ચઢ્ઢા સહિત અનેક રાજ્યસભા સાંસદોએ રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો છે. આનાથી રાજકીય ગતિવિધિઓમાં તેજી આવી ગઈ છે.
Admin
AdminUpdated on: 24 Apr 2026 06:19 PM IST
રાઘવ ચઢ્ઢાએ કેમ છોડી આમ આદમી પાર્ટી? જાણો કારણરાઘવ ચઢ્ઢાએ કેમ છોડી આમ આદમી પાર્ટી? જાણો કારણ

Raghav Chadha: આમ આદમી પાર્ટી (AAP)માં શુક્રવારે મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી જ્યારે રાઘવ ચઢ્ઢા સહિત અનેક રાજ્યસભા સાંસદોએ રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો છે. આનાથી રાજકીય ગતિવિધિઓમાં તેજી આવી ગઈ છે. 

રાઘવ ચઢ્ઢાએ પાર્ટી કેમ છોડી? 
રાજ્યસભાના સાંસદો રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલે દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે આયોજિત એક પત્રકાર પરિષદમાં પાર્ટી છોડવાનો નિર્ણય જાહેર કર્યો. ચઢ્ઢાએ દાવો કર્યો હતો કે, રાજ્યસભામાં AAPના દસમાંથી આઠ સાંસદો, જે પાર્ટીની બે તૃતીયાંશ તાકાતનું પ્રતિનિધિત્વ કરે છે, તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. 
ચઢ્ઢાએ કહ્યું કે, તેમણે આમ આદમી પાર્ટીને "લોહી અને પરસેવાથી" પોષી હતી, પરંતુ પાર્ટી હવે તેના મૂળ સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે, ભ્રષ્ટાચાર સામે લડવા માટે રચાયેલી પાર્ટી હવે સમાધાન અને વ્યક્તિગત હિતોમાં ફસાઈ ગઈ છે. તેમણે કહ્યું કે, તેમને લાંબા સમયથી લાગ્યું હતું કે તેઓ "ખોટી પાર્ટી"માં છે અને તેથી તેમણે છોડવાનો નિર્ણય લીધો હતો. 

ચઢ્ઢાએ એમ પણ કહ્યું કે, તેઓ છેલ્લા એક વર્ષથી પાર્ટીની પ્રવૃત્તિઓથી દૂર હતા. કારણ કે, તેઓ કથિત ગેરરીતિને સમર્થન આપી શકતા ન હતા. આ દરમિયાન સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ રાજકારણમાં આવ્યા ત્યારે તેમના ચોક્કસ આદર્શો અને ધ્યેયો હતા, પરંતુ વર્તમાન પરિસ્થિતિઓએ તેમને આકરો નિર્ણય લેવાની ફરજ પાડી હતી. તેમણે સંકેત આપ્યો કે તેઓ પાર્ટીની દિશામાં પરિવર્તનથી અસ્વસ્થ હતા.

AUTHOR
Admin

Admin

Author details are not available.